છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલી વ્યાજખોરી, ચોરી લૂંટ સહિતના સતત બનાવ બની રહ્યા છે તો દારૂ જુગાર અને પ્રતિબંધિત નશાયુક્ત પદાર્થોનું વેચાણ વધી રહ્યા હોવાની ફરિયાદ વધી રહી છે ત્યારે પોલીસ દ્વારા તમામ ગુનાહિત કૃત્ય પર કડક એક્શન લેવામાં આવતા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ આ દાવા કેટલા સાચા છે તે જગ જાહેર છે ત્યારે મોરબી જિલ્લામાં લાંબા સમયથી પીડિત લોકો તેમની રજૂઆત કરી શકે તે માટે હર્ષ સંઘવી દ્વારા લોક દરબાર નું આયોજન કરાયું છે
હર્ષ સંઘવી સાંજે 4:45 વાગ્યે કચ્છથી મોરબી આવશે અને એસ પી કચેરી પહોચશે અને સાંજે 5 વાગ્યે લોક દરબાર કરી લોકોની રજૂઆત સાંભળશે એક ક્લાક સુધી લોક દરબાર કર્યા બાદ સાંજે 6 વાગ્યે મોરબી જિલ્લાના ધારાસભ્યો જિલ્લાના પદાધિકારી અને ભાજપ સંગઠનના હોદેદારો સાથે બેઠક કરી જિલ્લા માં ચાલતી કામગીરી ની સમીક્ષા કરશે પોણા કલાક સુધી બેઠક બાદ 6:45 વાગ્યે રોડ માર્ગે રાજકોટ જવા રવાના થશે અ

