મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં રહેતી જ્યોતિબેન રાજુભાઈ ઉઘરેજા નામની મહિલા બે મહિના પહેંલા હળવદ ના રાતાભેર ગામમાં માતાજીના માંડવામાં આવી હતી ત્યારે તેને તેના પતિ રાજુભાઈ મનસુખભાઈ ને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની કરી હતી જેથી જે તે સમયે પતિ રાજુભાઈ તેના દિયર ચંદુભાઈ ઉઘરેજા તેમજ સુનીતાબેન નટુભાઈ ઉઘરેજા એ ઝઘડો કરી તેના પર હુમલો કર્યો હતો અને તેમને માર માર્યો હતો જ્યોતિબેનના પુત્રને પણ આ ઘટનામાં ઈજા પહોચી હતી બનાવ બન્ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે પરિવાર દ્વારા સમાધાનના પ્રયાસ ચાલી રહ્યા હોવાથી જે તે સમયે ફરિયાદ નોધાઇ ન હતી જોકે આ સમાધાન ન થતા જ્યોતિબેને પતિ રાજુભાઈ તેમના દિયર ચંદુભાઈ અને સુનીતાબેન વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

