હળવદ તાલુકાના ગોલાસણ અને પલાસણ વચ્ચે આવેલા જંગલ પાસેથી આધેડની બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ લોકોનું ટોળું ઘટના સ્થળે એકઠું થયું હતું. આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક પલાસણ ગામના તરસીભાઈ હોવાનું સામે આવ્યું છે. જોકે તેમને હત્યા શા માટે કરી તે પોલીસ તપાસ બાદ બહાર આવશે.

