મોરબી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આઉટ સોર્સ એજન્સી થકી મોરબી જિલ્લા કરાર આધારિત નર્સિગ સ્ટાફ ને બે દિવસ પહેલા મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો પી કે દૂધરેજિયાએ આદેશ કર્યો હતોએ આ કર્મચારીઓ જે અત્યાર સુધી સરકારી જાહેર રજાના દિવસમાં રજા રાખી શકશે નહી અને જો આ દિવસે ફરજ પર નહી આવે તો કપાત પગાર ગણવામાં આવશે માત્ર આ કર્મીઓને મહિનામાં 4 રજા જ મળવાપાત્ર રહેશે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ના આ તઘલખી નિર્ણય સામે નર્સિંગ સ્ટાફમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તમામ સ્ટાફ આજે સિવિલ હોસ્પિટલ બહાર સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતી આ તકે નર્સિંગ સ્ટાફે જણાવ્યું હતું કે રાજ્યની તમામ સિવિલ હોસ્પીટલમાં સ્ટાફ ને જાહેર રજાનો લાભ મળે છે તો અમને કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે આ બાબતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટને મળવા પહોચ્યા હતા જોકે તેઓ દ્વારા કોઈ પ્રતિશાદ આપવામાં આવ્યો નથી જેથી આ બાબતે અમે આગામી દિવસમાં જરૂર પડ્યે કલેકટરને રજૂઆત કરીશું

