મોરબીના મકનસર ગોકુલનગરમાં રહેતા રશીકભાઈ રતીલાલભાઈ ચાવડાએ ગઈકાલના રોજ કોઈ કારણોસર પોતાના રહેણાંક મકાન ખાતે ગળેફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.