માળિયા મિયાણા તાલુકાના સુલતાન પુર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા વિશાલનગર વિસ્તારમાં હરેશભાઈના ઘરેથી મુન્નાઘરેથી પેવર બ્લોક પાથરવાની કામગીરી કરવામાં આવી હતી જોકે આ કામગીરી ગુણવતા વિહીન હોવાના ગામના એક આગેવાને દાવો કર્યો હતો વર્ષ ૨૦૨૨ -૨૩માં મનરેગા યોજના હેઠળ આ કામ મંજુર થયું હતું આં માટે જે તે સમયે મજુરી પેટે ૪૦ ૭૯૭,અને માલ સામાનના ૪,૧૮,૫૭૭ મળી કુલ ૪,૫૯,૩૭૪ ની મંજુરી મળી હતી જોકે આ કામ મુદે ગામના પીસીસી કામ કરવામાં આવ્યું ન હોવા છતાં તેની ચુકવણી કરી દેવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા છે ગામના એક આગેવાને દાવો કર્યો હતો કે આ કામનું હજુ ક્મ્પીલીશન પણ થયું નથી કે ત્રીજા સ્ટેજનું જીઓ ટેગિંગ પણ કરવામાં આવ્યું નથી આથી આ કામગીરી મુદે યોગ્ય તાલુકા વિકાસ અધિકારી તેમજ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરાવવા અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે

