Friday, April 18, 2025
HomeGujaratમોરબીના ખોખરા હનુમાન ધામ મુકામે હનુમાન જયંતિ નિમિતે દ્વિદિવસીય મહોત્સવ યોજાશે

મોરબીના ખોખરા હનુમાન ધામ મુકામે હનુમાન જયંતિ નિમિતે દ્વિદિવસીય મહોત્સવ યોજાશે

મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે તારીખ 11 એપ્રિલને શુક્રવારના રોજ સવારે 9:15 કલાકે સંત નિવાસ શંકરાચાર્ય ભુવનનું ઉદઘાટન થશે. ત્યારબાદ બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. 11 એપ્રિલે રાત્રે 9-30 કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં કલાકાર બિરજુ બારોટ, સાધ્વી જયશ્રી માતાજી, શ્રવણસિંહ સોઢા, દક્ષા પરમાર અને સંકલન મુકેશભાઈ સાધુ ભજનની રમઝટ બોલાવશે.

તારીખ 12 એપ્રિલને શનિવારે સવારે 7 કલાકે મંદિરના શિખપર પર ધજારોહણ થશે. સવારે 8 કલાકે હનુમાન યજ્ઞ યોજાશે. સવારે 9 કલાકે સુંદરકાંડના પાઠ થશે. સવારે 9 થી 12 વાગ્યા સુધી દાંતના તમામ રોગોની સારવાર માટે નિઃશુલ્ક કેમ્પ યોજાશે. જેમાં ડો. શ્રદ્ધાનંદજી મહારાજ સેવા આપશે. બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. બપોરે 3 કલાકે વૈદ્ય લાલભાઈ ભીખાબાપા દ્વારા નિઃશુલ્ક નાડી પરીક્ષણ કેમ્પમાં સેવા આપશે.

હનુમાન જયંતી મહોત્સવ પ્રસંગે મહામંડલેશ્વર કનકેશ્વરીદેવીજી, દ્વારકા શંકરાચાર્ય પીઠના નારાયણાનંદ બ્રહ્મચારીજી ઉપરાંત અનેક સંતો- મહંતો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મધ્યપ્રદેશ સરકારના શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજયવર્ગીય, ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો સહિત વિવિધ રાજકીય-સામાજિક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં પધારવા સર્વે ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,152FollowersFollow
2,820SubscribersSubscribe

TRENDING NOW