મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલ રોયલ ટચ સીરામીકની લેબર કોલોનીમાં રહેતા અને મૂળ પશ્ચિમ બંગાળના વતની લક્ષ્મીનદરનાથ ઉર્ફે શંકરભાઈ દુર્ગાભાઈ મહાલી નામના આધેડ ગત તા.-06/04/2025ના રોજ કોઈને કહ્યા વગર રૂમેથી જતો રહેલ હોય અને કોઈ પણ સમયે મોરબી એન્ટીક સીરામીક કેનાલથી ઘૂંટુ ગામ તરફ જતા સિમેન્ટ રોડ ઉપર રોડની સાઈડમાં આવેલ મોટા ખાડામાં ખુલ્લી જગ્યા પાસે કોઈ કારણોસર આધેડનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

