મોરબીમાં માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત તા.-11/01/2025ના રોજ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ભારે વાહનોના ડ્રાઇવરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ચાલકોને રેડિયમ અને રિફલેક્ટર બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં કચેરીના મોટર વાહન નિરીક્ષક જે.કે.પ્રજાપતિએ વાહન ચાલકોને માર્ગ સલામતી બાબતે માહિતી આપી હતી. જેમાં માર્ગ પર વાહન બંધ પડે ત્યારે રિફ્લેક્ટરનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

