HomeGujaratપુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈ હોલકર ત્રી શતાબ્દી સમિતિ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા...

પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈ હોલકર ત્રી શતાબ્દી સમિતિ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરાયું

પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતી નિમિત્તે પ્રભાસ પાટણ મુકામે, ગઈકાલે રવિવારે સવારે 10 વાગ્યાથી 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પુણ્ય શ્લોકા દેવી અહલ્યા બાઈ હોલકર ત્રીશતાબ્દી સમારોહ સમિતિ તથા સોમનાથ ટ્રસ્ટ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યુવા સંમેલનમાં સમગ્ર ભારત વર્ષમાં થી 500 જેટલા યુવાનો અને યુવતીઓ કે જેઓ પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામ કરી રહ્યા છે, તેઓને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. આ યુવાનો અને યુવતીઓ રમત ગમત ,ઉદ્યોગ, પ્રાકૃતિક ખેતી શિક્ષણ, વિજ્ઞાન, રક્ષા વગેરે ક્ષેત્રોમાંથી અપેક્ષિત હતા. આ કાર્યક્રમ માં મુખ્ય વક્તા તરીકે ભાગ્યેશ જહા-અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી, નિવૃત્ત I A S અધિકારી હતા.

આ સંમેલનમાં વિશેષ ઉસ્થિતિમાં કેપ્ટન ડૉ.મીરાબેન દવે – નિવૃત્ત શેના અધિકારી, પ્રીતિબેન પટેલ – શસ્ત્ર ઉદ્યોજક, મનીષાબેન કોઠેકર – પ્રાધ્યાપક આયુર્વેદિક કોલેજ નાગપુર હતા. કાર્યક્રમ દરમિયાન સૌપ્રથમ દીપ પ્રાગટ્ય લોકમાતા અહલ્યાબાઈજીની ડોક્યુમેન્ટરી દર્શન વક્તાઓ દ્વારા અહલ્યાબાઈ જીની જીવની વિશેની વાત કરાઈ હતી. મુખ્ય વક્તા દ્વારા લોકમાતા પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈના ગુણોનું દર્શન અને અત્યારના આધુનિક સમયમાં એની પ્રાસંગિકતા વિશે વાત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે બધા જ વક્તાઓ દ્વારા ઉપસ્થિત યુવા શક્તિને સાંપ્રત સમયમાં મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગૌ આધારિત વસ્તુઓનો વિતરણનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો, સાથે સાથે લોક માતા અહલ્યાબાઈની જીવનીના પુસ્તકો અને અન્ય ઉપયોગી પુસ્તકો અને સાહિત્યનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સેલ્ફી પોઇન્ટ, પ્રદર્શનની વગેરેની ગોઠવણ થઈ હતી. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત બધા જ લોકોએ સ્વરુચિ ભોજન સાથે લીધું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW