મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં રહેતા દિનેશભાઇ સોમાભાઇ ચાવડા રીક્ષા ડ્રાઇવીગનો વ્યવસાય કરતા હતા. છેલ્લા ઘણા સમયથી રીક્ષા ડ્રાઇવીગની આવકથી ઘરનું ગુજરાન બરોબર ચાલતું ન હોય અને સારી આવક મળી રહે તેવો કોઇ કામ ધંધો મળતો ન હોય તેથી આર્થિક સંકડામણમાં આવી જતાં આર્થિક સંકડામણની ચિંતા માનસીક તણાવમાં આવી જતાં આવેશમાં આવી જઇ યુવાને પોતે પોતાની જાતે આપઘાત કરવા મકનસર રેલ્વે ટ્રેક ઉપર રેલ્વે ડેમુ ટ્રેન નીચે પડતું મુકતા ડેમુ ટ્રેન નીચે હડફેટમાં આવી જતાં માથા તેમજ શરીરે ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

