મોરબી શહેરના આંગણે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય હેતુથી સતધામ પરિવાર મોરબી દ્વારા તા.- 09/01/2025 થી તા.-15/01/2025 દરમિયાન રાત્રીના 08:30 થી 11:00 કલાકે રામેશ્વર પાર્ટી પ્લોટ, ઘુનડા રોડ, મોરબી મુકામે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કથામાં વક્તા સત્ શ્રી (સંસ્કૃતાચાર્ય) દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે. આ કથાનું દીપ પ્રાગટય પ્રેમ પ્રકાશદાસજી સ્વામી (સંસ્કારધામ, મોરબી), દામજીભગત (નકલંગધામ બગથળા), ભાણદેવજી (સરસ્વતી નિકેતન આશ્રમ જોધપુર (નદી)) દ્વારા કરવામાં આવશે. જેમાં 09/01/2025ને ગુરુવારના રોજ રાત્રે 7:30 કલાકે નાથાભાઈ છગનભાઈ બાવરવા હરિવિલા, ઉમિયાનગર સોસાયટી, ઉમિયા સર્કલ, શનાળા રોડથી પોથીયાત્રા નીકળી કથા સ્થળ પર જશે. કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે અને કથાની પુર્ણાહુતી તા. 15/01/2025ના રોજ રાત્રે 11 કલાકે થશે. આ કથા અંતર્ગત રાત્રે 10:30 કલાકે શિવ પ્રાગટયોત્સવ, શંકર – પાર્વતી વિવાહ અને ગણપતિપ્રાગટયોત્સવ યોજાશે. આ શિવ મહાપુરાણ કથાનું લાઈવ પ્રસારણ ચેનલ કથા GTPL 555, અને યુટ્યુબ ચેનલ Satshri Kathaમાં કરવામાં આવશે. ત્યારે આ શુભ પ્રસંગે કથાનો લાભ લેવા સાતધામ પરિવાર મોરબી દ્વારા સમસ્ત જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

