મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ આનંદ નગરમાં રહેતા હેમરાજભાઇ દીલીપભાઇ સરવૈયાએ ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું કે, ગઈકાલના રોજ હેમરાજભાઈ તથા સાહેદ પોતાની નાસ્તાની લારીએ હોય ત્યારે આ આરોપી રમેશભાઇ વિરજીભાઇ પરમાર તથા મનસુખભાઇ વિરજીભાઇ પરમાર તેમના ગેરેઝ આગળ આવેલ ગટરનું ઢાકણુ તોડતા હોય જેથી તેમાં નીકળતું ગદુ પાણીની દુર્ગધ ન આવેલ તે માટે ફરીયાદી તથા સાહેદએ ગટર ન તોડવા સમજાવવા જતા આરોપીઓએ ફરીયાદીને તથા સાહેદને ગાળો આપી અને ઢીકા પાટુનો માર માર્યો હતો. તેમજ આરોપી દયારામભાઇ વિરજીભાઇ પરમારના હાથમા રહેલ લોખંડનો પાઇપ વડે માર મારી ફરિયાદી તથા સાહેદને ઈજા પહોચાડી હતી.