મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાં ખેતમજૂરી કરતા નંદલાલ ઉર્ફે શિવરામભાઈ વાસકેલ ગત તા.- 20/11/2024ના રોજ તેમના પત્ની બુદ્ધિબાઈ અને દીકરી રીંકુ બાઇકમાં બીજી વાડીએ જઈ રહેલ હોય તે દરમિયાન રવિરાજ ચોકડી નજીક GJ-12-BX-2121 નંબરના ટ્રક ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા બાઈક ચલાવી રહેલા નંદલાભાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બુદ્ધિબાઈ અને રીંકુને ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે મૃતકના સાઢુંભાઈ રેવારામભાઈ બામણિયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

