મોરબીમાં ગઈકાલના રોજ મચ્છુ-3 ડેમમાં નદીના પુલ પરથી કોઈ અજાણ્ય રીક્ષા ચાલકે જંપલાવ્યું હતું. જે બાદ મોરબી ફાયર વિભાગની ટીમ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ બાદ આજે સવારે મૃતદેહ મળેલ છે, જે સિવિલ હોસ્પિટલ પીએમ માટે મોકલાવેલ છે. જેમાં યુવાનનું નામ વિનોદભાઈ ધનજીભાઈ મકવાણા ઉમર વર્ષ 32, રહે. વિજયનગર, રોહીદાસ પરા પાછળ, અમરેલી રોડ, મોરબી મુકામે રહેતો હોવાનું સામે આવ્યું છે.

