HomeGujaratદિવાળીના રજામાં પ્રવાસીઓ જૂનાગઢ તરફ વળ્યા પ્રવાસીઓનો ધસારો વધ્યો, ગિરનાર રોપ વે...

દિવાળીના રજામાં પ્રવાસીઓ જૂનાગઢ તરફ વળ્યા પ્રવાસીઓનો ધસારો વધ્યો, ગિરનાર રોપ વે માં ૪૦૦૦થી વધુ મુસાફરોને મુલાકાત

દિવાળીના તહેવારને લઈ રજાઓ માણવા પ્રવાસીઓ બહોળી સંખ્યામાં જુનાગઢ સોમનાથ સાસણ દીવ સહિતનાં પર્યટન સ્થળો પર જઈ રહ્યા છે . જૂનાગઢથી સાસણ તરફ જતા માર્ગો પર વાહનોના થપ્પા લાગ્યા છે તો મોટાભાગના રિસોર્ટ અને હોટેલ હાઉસ ફૂલ થઇ ગયા છે.જૂનાગઢ શહેરની વાત કરીએ ખુબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભવનાથ ગિરનાર પર્વત અને જૂનાગઢના વિવિધ પર્યટક સ્થળોએ જતા જોવા મળી રહ્યા છે. ખાસ કરી ગુજરાત તેમજ અન્ય રાજ્યો માંથી આવતા લોકોમાં જુનાગઢ ફરવા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે જુનાગઢ આવતા પ્રવાસીઓ ભવનાથ ક્ષેત્રમાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળો તેમજ રોપવે મારફત ગીરનાર જતા જોવા મળ્યા હતા. ગિરનાર ફરવા આવતા પ્રવાસીઓ બહોળી સંખ્યામાં રોપવે મારફત જૈન દેરાસર તેમજ માં અંબાના દર્શન કરવા જુનાગઢ પહોંચ્યા હતાબીજી તરફ ગિરનાર પર્વત પર પાણીની સુવિધા ન હોવાના કારણે લોકોને વધુ રૂપિયા ચૂકવી પાણી ખરીદવું પડે છે. ત્યારે મધ્યમ વર્ગના લોકોને ગિરનાર પર્વત પર પાણીની સમસ્યાનો સામનો કરવો પડયો હતો. 75 કરોડના ખર્ચે બે વર્ષ પહેલા ઉપરકોટનું રીનોવેશન તેમજ રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું ત્યારે નવા રંગ રૂપ સાથે ઉપરકોટ નો કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકતા દિવસે ને દિવસે પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે સવાણી ગ્રુપ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે ઉપરકોટ ખાતે સાયકલિંગ ,બાળકો માટે અલગ અલગ રાઈડ્સ તેમજ ખાણીપીણીના સ્ટોલનો લોકો આનંદ માણ્યો હતો. હાલ દિવાળીની રજાના દિવસોમાં ઉપરકોટ ખાતે દરરોજના 10,000 થી વધુ પ્રવાસીઓ અને રોપવે ખાતે 4,000 થી વધુ પ્રવાસીઓ મુલાકાત લે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW