મળતી માહિતી અનુસાર, મોરબી રૂટની એસ ટી બસ ભાવપર મુકામે આવતી સવારે 10 વાગા ના આસપાસ અને બપોર બાદ એમ બે એસટી બસ અને જુની સવારના 8 વાગા વારો ફેરોઓ લંબાવવામાં આવતા ગામના શાળાએ જતા વિદ્યાર્થીઓને આવવા જવાનો ફાયદો થશે. તેમજ ગામ લોકોને મુશાફરી કરવા માટે પણ લાભકારી રહેશે જેથી ગામ પંચાયત દ્વારા ડેપો મેનેજરને અનેક રજૂઆતો અગાઉ કરી હોય જેથી સ્થાનિક ડેપો મેનેજર આ રજુઆત ધ્યાને લય ને આ રૂટ લંબાવતા ગામ પંચાયતે આભાર વ્યક્ત કર્યો હતો અને આ તકે ગામ પંચાયતના સરપંચ ગોરીબેન નાગજીભાઈ પીપળીયા તથા ઉપસરપંચ જલ્પા બેન જયેશભાઇ વાધેલા તથા જાગૃત સભ્ય એવા કેશવજીભાઈ અમરશીભાઈ પીપળીયા તથા ગામ અગ્રણી એવા રાયસગભાઈ લખમણભાઈ વાધેલા સાથે કાનજીભાઈ નાગજીભાઈ પીપળીયા દ્વારા આવેલ એસ ટી બસ ના ડ્રાઈવર તથા કનડકટરનું મોઢું મીઠું કરાવીને આવેલ બસનું સ્વાગત કર્યું હતું.

