હળવદ તાલુકમાં સૌરાષ્ટ્ર સાહિત્ય સભા, રોટરી કલબ તથા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ” વાતડિયું વગતાળીયુ ” કવિ સંમેલનનું આયોજન કરાયું. આ કવિ સંમેલન તા. 27/09/2024 ના રોજ રાત્રે 8 કલાકે અને લોહાણા મહાજન વાડી શંકરપરા, હળવદ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ડૉ. એસ.એસ. રાહી, રાજ લખતરવી, ભરત ભટ્ટ “પવન” , દીનાબેન શાહ, કવિતાબેન શાહ, દર્શક આચાર્ય, પ્રતિક બારોટ, ધાર્મિક કોટક સહિતના કવિગણ આ સંમેલનમાં હાજરી આપશે. તેમજ વિષેશ ઉપસ્થિતિ તરીકે સોરાષ્ટ્ર સાહિત્ય સભાના પ્રમુખ તરુણ દતાણી અને તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવ હાજરી આપશે. આ સંમેલન રુચિર પંડ્યા, રોહિતભાઈ ચંદુભાઈ મેંઢા અને જે વી ભરવાડ સહિતના સૌરાષ્ટ્ર સાહિત્ય સભા, રોટરી કલબ તથા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા આ સંમેલનમાં પધારવા લોકોને ભાવભર્યું નિમત્રણ પાઠવ્યું છે.

