મોરબીના પંચાસર ગામની સીમમાં ચાંચાપર રોડ પાસે સતુભા દરબારની વાડીયે રહેતા અજયભાઈ સજનભાઈ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ફરજ પરના ડોકટરે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

