મોરબીના વિજયનગરમાં રહેતા વિશાલભાઈ મગનભાઈ પરમાર નામના યુવાને ગઈકાલે તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી છે.

