મોરબીના સિપાઈવાસ માતમ ચોકમાં રહેતા અફસાનાબેન ઓગુલામહુસેનભાઈ પઠાણ નામના યુવતીને છેલ્લા દસેક વર્ષથી આચકી આવતી હતી. જેની સારવાર અમદાવાદ લીધેલ હતી અને છેલ્લા બે ત્રણ મહિના થી માનશિક તકલીફ રહેતી હોય જેની સારવાર મોરબી સરકારી હોસ્પિટલ તથા જામનગર સરકારી હોસ્પિટલમા સારવાર લેવા છતા સારૂ નહિ થતા કંટાળીને યુવતીએ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

