મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રેહેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર ખાના ખરાબી સર્જાઈ છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગત રાત્રીના પણ ટંકારા પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખાનપર (ઘુ)માં એક મકાનની દીવાલ અચાનક તૂટી પડી હતી જેના કારણે તેની પાસે આવેલા કાળુભાઇ રબારી નામના માલધારી પરિવારે ડેલામાં બાંધેલા ઘેટા દબાઈ ગયા હતા ઘટનામાં 8 ઘેટાના સ્થળ પર કમકમાટી ભર્યા મોત થયા હતા.

