જેતપર ગામના રહેવાસી જીગરભાઈ અઘારાના પુત્ર રીવાનના પ્રથમ જન્મદિવસ નિમિત્તે પરિવારજનો સાથે વૃધ્ધાશ્રમ ખાતે એકલવાયું જીવન જીવતા વૃદ્ધો સાથે ઉજવવાનું નક્કી કર્યું હતું. તેના ભાગરૂપે જમણવારનું આયોજન કરેલ હતું. વૃદ્ધોને ઉપયોગી ચીજ વસ્તુઓ આપી હતી ત્યારે એકલવાયું જીવન જીવતા વૃદ્ધોના ચહેરા ઉપર પોતાના પુત્રનો જન્મદિવસ ઉજવતા હોય તેવો આનંદ છવાયો હતો.

