વાંકાનેરના માટેલ રોડ પર લાકડધાર નજીક આવેલ ગ્રીનસ્ટોન સિરામિક ફેકટરીમાં રહેતા મૂળ બિહારના વતની વિક્રમ રાજુ શાહ નામના શ્રમિકે ફેકટરીના આરઓ પ્લાન્ટ રૂમમાં ગઈકાલે કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે બાદ તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.