ટંકારાના હમીરપર ગામે દિનેશભાઈ રતનપરાની વાડીમાં રહેતા ખેત શ્રમિક મોહલીબેન મોનસિંગભાઈ ચંગળીયા નામના મહિલાએ ગઈકાલે વાડીમાં હોય તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર કપાસમાં નાખવાની દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ફરજ પરના ડોકટરે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

