વાંકાનેર તાલુકાના સરતાનપર પાસે વરમોરા સીરામીકની લેબર કોલોનીમાં રહેતા મૂળ આસમના વતની બુદરાઈ બજલ મુર્મુ નામના સગીરને છેલ્લા ત્રણ દિવસથી ઝાડા ઉલ્ટી થતા હતા. બાદમાં અચાનક બેભાન થઈ જતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે ડો. જાવીદે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

