ટંકારાના વાછકપર ગામે રહેતા કંચનબેન અશોકભાઇ અગ્રાવત એ ગત તા.-23/06/2024 ના સવારના સાડા પાંચવાગ્યાની આસ-પાસ પોતાના ઘરે કોઇ કારણોસર બેભાન થઇ જતા ત્યાં આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે બે ભાન હાલતમા રાજકોટ સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના ડોકટરે તેને જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે ડો. આર.આર.શર્મા એ ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગેની નોધ કરી તપાસ હાથ ધરી છે.