વાંકાનેરના સરતાનપર નજીક આવેલ સ્વેલ ગ્રેનાઇટો એલ.એલ.પી. કારખાનામાં કામ કરતા મૂળ એમપીના યુવક કૈલાશ શંકરલાલ ચૌહાણ કારખાનાની લેબર કોલોનીમાં બીજા માળે રૂમ પાસે આગળ લોબીની દીવાલ પર બેસેલ હોઇ તે દરમ્યાન અકસ્માતે ઉંચાઇ પરથી નીચે પડી જતા માથામાં તથા શરીરે ગંભીર ઇજા પોહચતા ત્યાં આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે શિવમ હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મુત્યુ થયું હતું.આ બનાવ અંગે ડો. રવિ કોટેચાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી છે.