વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં મોટા પાયે ખનીજ ચોરી થતા હોવાની રાવ મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમને મળી હતી જેના આધારે જિલ્લા ખનીજ અધિકારી ભૂસ્તરશાસ્ત્રી જે એસ વાઢેરની સુચનાથી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને લૂણસર ગામમાં ખનીજ ચોરી પકડી પાડી હતી અને સ્થળ પરથી એક એક્રૂસેવેટર મશીન ફાયર કલે સહીત રૂ 69 લાખની કિમતનો મુદામાલ જપ્ત કર્યો હતો સ્થળ પર તપાસ કરતા ગોપાલ ઘેલાભાઈ ઘ્રાંગીયાના કહેવાથી એકસેવેટરના માલિક દેવશીભાઈ ચારલા દ્વારા કોઈ પણ પ્રકારની મંજુરી વિના ખોદકામ કરતા હોવાનું સામે આવ્યું હતું ખાણ ખનીજ વિભાગની ટીમે એક્સેવેટર જપ્ત કરી વાંકાનેર તાલુકા પોલીસ મથક માં સોપવામાં આવ્યું હતું.

