મોરબીના સો ઓરડી વિસ્તારમાં રહેતા કાનજીભાઈ કુંવરજીભાઈ બારેજિયા નામના વૃદ્ધ દ્વારા લવજીભાઈ હીરાભાઈ ઉભડીયા પાસેથી ત્રાજપર ગામની હદમાં આવેલા પ્લોટની રહેણાંક હેતુ માટે ખરીદી કરી હતી તે પ્લોટમા ગયા હતા ત્યારે બેચર ભાઈ ભગવાનજી ભાઈ આવ્યા હતા બેચરભાઈના સાળા ભરતભાઈ જોશી અને તેમના દીકરા વચ્ચે જમીન મુદે કોર્ટમાં દાવો કર્યો હતો અને તેનો ચાલતો હતો જેનું મનદુઃખ રાખી બેચરભાઈએ કાનજીભાઈને ગાળો બોલવા લાગ્યો હતો અને પેટના ઉપરના ભાગે છરી વડે જીવલેણ હુમલો કરી ત્યાંથી ફરાર થાઈ ગયા હતા ગંભીર હાલતમાં કાનજીભાઈનેટ તેના પુત્ર અને પાડોશી સહીતના લોકો હ્પ્સ્પીત્લ સારવાર અર્થે લઇ ગયા હતા જ્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી આ બનાવમાં વૃદ્ધે બેચરભાઈ જગજીવનભાઈ ચાઉં સામે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ મોધાવી હતી અને તેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જ સીટ ફાઈલ કરતા કેસ મોરબી સેસન્સ કોર્ટમાં તબદીલ થઇ હતી અને સેકન્ડ એડીશનલ જજ વિરાટ કે બુદ્ધની કોર્ટમાં તેનું હિયરીંગ ચાલ્યું હતું જેમાં સરકારી વકીલ સંજય સી દવે દ્વારા ફરિયાદી તરફી દલીલ કરી હતીએ ને કેસના લગતા સાહેદો તપાસ કરી હતી કેસમાં કોર્ટે 12 મૌખિક પુરાવા અને ૨૩ દસ્તાવેજી પુરાવા આધારે આરોપીને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી

