મોરબીના આમરણ ગામમાં રહેતા નાથાલાલ છગનભાઈ સાવરિયા નામના વૃદ્ધ ગામના બસ સ્ટેશન પાસે રામાભાઈ ચા વાળાની દુકાને બેઠા હતા તે દરમિયાન ફડસર ગામનો નાગદાન ઉર્ફે નટવરગીરી જેઠાભાઈ કુંભારવાડીયા નામનો શખ્સ તેના બાઈક પર આવી ચઢ્યો હતો અને એક વર્ષ પહેલા નાથાભાઈ સાથે હનુમાનજી મંદિર પાસે અસામાજિક પ્રવુતિ ચલાવવા બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી તેમની સાથે ઝઘડો કર્યો હતો અને તેની સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો બનાવ અંગે નાથાભાઈએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ અંગે તાલુકા પોલીસે આરોપી નાગદાન ઉર્ફે નટવરગીરી જેઠાભાઈ કુંભારવડીયા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

