મોરબી જીલ્લામાં દિન પ્રતિદીન આપઘાતની ઘટના સતત વધી રહી છે અવાર નવાર નાની બાબતમાં ફાંસો લગાવી મોત વ્હાલુ કર્યું હોવાની ઘટના સામે આવી રહી છે આપઘાતની પ્રથમ ઘટના મોરબીના નાની કેનાલ વિસ્તારમાં બની હતી જેમાં મોરબી ના નાની કેનાલ રોડ શ્યામ રેસીડન્સી પ્રભાત વિલા-બી.નવા બનતા એપાર્ટમેન્ટમા રહેતી મૂળ છ્તીશગઢ કોદવા ગોડાનની વતની સંતોષીબેન પ્રભાતભાઇ જામલાલે કોઈ કારણસર ફાંસો લગાવી આપઘાત કર્યો હતો તો બીજી એક ઘટના મોરબીના વીસીપરા બિલાલી મસ્જીદ પાછળ ફુલછાબ કોલોનીમાં રહેતા સલીમભાઇ સુમારભાઇ સુમરાએ પોતાના ઘરે કોઇપણ કારણોસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવ અંગે પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી

