કેન્દ્રિય શિક્ષણ બોર્ડની શિક્ષણ આપતી સરકારી શાળા જવાહર નવોદય દ્વારા દર વર્ષે શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે યોજાયેલ પરીક્ષામાં મોરબીની માણેકવાડા પ્રાથમિક શાળા ના ધોરણ -5 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પર્વ પૈહારિભાઈ રામાવત એ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરી પરીક્ષા પાસ કરેલ હોય, આ પરીક્ષા પાસ કરી પર્વ રામાવતે શાળા તથા પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું હોય,નવોદય પરીક્ષા માં ઝળહળતું પરિણામ મેળવવા બદલ શાળા પરિવાર શુભેચ્છાઓ પાઠવી હતી