HomeGujaratમોરબીના જલારામ મંદિર ખાતે યોજાયેલ નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં 290 દર્દીઓની સારવાર...

મોરબીના જલારામ મંદિર ખાતે યોજાયેલ નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં 290 દર્દીઓની સારવાર કરાઈ

રાજકોટના રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ- તેમજ મોરબીના જલારામ પ્રાર્થના મંદિર તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદદ્વારા દર મહીના ની 4 તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે દાતાઓના સહયોગથી સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ નું આયોજન કરાય છે જે અંતર્ગત તા4ને સોમવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા 290 દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત 127 લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.પ્રવર્તમાન માસ નો કેમ્પ સ્વ.ચુનીલાલ ઠાકરશીભાઈ પોપટ તથા સ્વ.ભૂમિબેન રાજેશભાઈ પોપટ પરિવાર ના સહયોગથી યોજવા મા આવેલ હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW