HomeGujaratમહર્ષિ ટાઉનશીપમાં તસ્કરોનો તરખાટ: એકસાથે સાત જેટલા મકાનોને બનાવ્યા નિશાન

મહર્ષિ ટાઉનશીપમાં તસ્કરોનો તરખાટ: એકસાથે સાત જેટલા મકાનોને બનાવ્યા નિશાન

હળવદ શહેરની મહર્ષિ ટાઉનશીપમાં દર વર્ષે ચોરીના બનાવો સામે આવે છે. જેમાં શહેરની મહર્ષિ ટાઉનશીપમાં ગત મોડી રાત્રે પરિવારજનો ગામડે ગયા હોય અને બંધ મકાનનો લાભ લઈ સાત જેટલા મકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક માહિતી અનુસાર ભગવાનભાઈના મકાનમાંથી ત્રણ જેટલી સોનાની વીટી તેમજ ચેઈનની ચોરી થઈ હોવાની તેમજ સંદિપભાઈ સુરેલાના મકાનમાંથી રોકડ રકમ 7 હજાર, રાજુભાઈ દરજીના મકાનમાંથી સામાન અસ્તવ્યસ્ત હોય અને મકાન માલિક હાજર ન હોવાથી આંકડો જાણી શકાયો નથી. તો સાથે રોનકભાઈના મકાનમાંથી બહારનો દરવાજો તોડી પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. અને સાતમાં બળદેવભાઈના મકાનમાં પણ પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ થયો હતો. જોકે કેટલી ચોરી થઈ છે અને કેટલા મકાનમાં ચોરી થઈ છે. તે પોલીસ ફરિયાદ બાદ સ્પષ્ટ જાણી શકાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW