સિંચાઈ માટે પાણી છોડવાની ખેડૂતોની માંગણીને ધ્યાને લઇ હળવદના બ્રાહ્મણી ડેમમાંથી મંગળવારે મોડી રાત્રે એક દરવાજો 4 ઇંચ ખોલવામાં આવ્યો હતો અને પાણી છોડવામાં આવ્યું હતું ડેમમાંથી પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં આવતા 9 ગામ જેમાં સુસવાવ,કેદારીયા,મયુરનગર,રાયસંગપુર,ચાડધ્રા, ટીકર, માનગઢ, અજિતગઢ, મિયાણી સહિતના ગામોને કરાયા એલર્ટ કર્યા હતા અને નદીના પટમાં અવર જવર ન કરવા અપીલ કરી હતી પાણી છોડવાના કારણે બ્રાહ્મણી નદીમાં નવા નીર આવ્યા હતા અને નાના મોટા ચેકડેમમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી
હળવદના બ્રાહ્મણી ડેમનો એક દરવાજો ખોલાયો, મોડી રાત્રે સિંચાઈ માટે પાણી છોડાયું
RELATED ARTICLES

