વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામમાં બે શખ્સ દ્વારા ગૌ વંશ પર એસીડ જેવો જવલનશીલ પ્રવાહી ફેકી ફરાર થઇ ગયા હતા જવલનશીલ પ્રવાહી ફેકવવાંના કારણે ગૌ વંશની પીડા જોઈ જીવ દયા પ્રેમીનું હ્રદય પણ દ્રવી ઉઠ્યું હતું ઘટના અંગે ખીજડીયા ગામના વતની જીવણદાસ વિરદાસ મકવાણા નામના વૃદ્ધે ગૌ વંશ પર જ્વલનશીલ પદાર્થ ફેકનાર ઈલમુદીનભાઈ ઈબ્રાહીમભાઈ વકાલીયા (૨) ઈસ્માઈલભાઈ જલાલભાઈ શેરસીયા સામે ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ આધારે વાંકાનેર પોલીસે બન્ને શખ્સ સામે ગુન્હો નોધી બન્નેની શોધખોળ હાથ ધરી હતી આ અંગે વધુ તપાસ એ એસ આઈ વી.ડી.ખાચર ચલાવી રહ્યા છે

