મોરબીના ભક્તિનગર સોસાયટી વિસ્તારમાં રહેતા ડાઈબેન રતિલાલભાઈ પરમાર નામના વૃધ્ધા તેના પુત્ર સાથે બાઈકમાં પાછળ બેસીને આમરણ તરફ જતા હતા તે દરમિયાન પંચાસર ચોકડી પાસે અચાનક ચક્કર આવતા બાઈક ઉભું રાખી નીચે ઉતરવા જતા હતા તે દરમિયાન બાઈક પરથી પડી જતા માથાના ભાગે ઈજા પહોચી હતી, માથામાં ઈજા થતા ડાઈબેન બેભાન થઇ જતા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે એ ડીવીઝન પોલીસે એડી નોધ કૃત તપાસ હાથ ધરી છે

