મોરબી એસઓજીની ટીમ પેટ્રોલિંગ માં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે માળિયા અમદાવાદ હાઇવે પર આવેલી રામદેવ હોટેલનો સંચાલક અફીણ વેચતા હોવાની બાતમી મળી હતી જેના આધારે દરોડો પાડ્યો હતો અને વેહનારામ દલારામ ચૌધરીને ઝડપી લીધો હતો અને તેની પાસે થી રૂ 14,500ની કિમતનો 145 ગ્રામ અફીણ જથ્થો , મોબાઈલ, બેગ સહીતના રૂ 16,600નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે આરોપી વહેનારામ વિરુદ્દ્ધ એન ડી પી એસ એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

