ટંકારા તાલુકાના ઓટાળા ગામમાં રહેતા કિશોર ગોરાભાઇ પરમારની 19 વર્ષીય યુવતી મિતલબેન ગઈ કાલે રસોડામાં ચા બનાવવા ગઈ હતી.અને અગાઉથી ગેસનો ચુલાનું રેગ્યુલેટર ચાલુ કરી દીધું હતું. અને માચીસ લેવા ગઈ હતી આદરમીયાન ગેસ પ્રસરી ગયો હતો મિતલબેને જેવો માચીસ સળગાવી કે તુરત આગ પકડી લીધી હતી જેના કારણે મિતલબેન ગંભીર રીતે દાઝી ગયા હતા બનાવને પગલે મિતલબેને બુમાબુમ કરતા પરિવારજનો દોડી ગયા હતા અને આગ કાબુમાં લઇ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નીવડતા તેનું મોત થયું હતું બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી

