રાજ્યની વિવિધ શાળાઓ માં ફરજ બજાવતા શિક્ષકો લાંબા સમય થી જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા,બદલી પામેલા 100 ટકા છુટા કરવા જ્ઞાન સહાયકો ની કાયમી ભરતી કરવા 4200 ગ્રેડ પે આપવા HTAT મુખ્ય શિક્ષકો ના નિયમ બનાવવા ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના શિક્ષકો ને બદલી માટે તક આપવી સળંગ નોકરી ગણ્યા બાદ 5 વર્ષ ની ફિક્સ પગાર ની નોકરી દરમિયાન મેડીકલ રજા જમા કરવી,માતૃ શક્તિ ને પ્રસુતિની રજાઓ 1998 બાબત નો પ્રશ્નો ઉકેલવા સહિતના વિવિધ પ્રશ્નો મુદે સરકાર સામે લડત ચલાવી રહ્યા છે પરંતુ સરકાર તેમની આ માંગણીને લઈ કોઈ પણ પ્રકારનો હકારાત્મક અભિગમ ન અપનાવતા અંતે શિક્ષકો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સંયુક્ત મોરચાના નેતૃત્વ માં મોરબીમાં ગાંધી જયંતી એ શિક્ષકો દ્વારા સરદારબાગ ખાતે રામધૂન બોલાવી હતી તેમજ માતૃ ભૂમિની માટીનું તિલક કરી મહાત્મા ગાંધી અને અન્ય ક્રાંતિ કાર્યો ની વેશભૂષા સાથે રેલી કાઢવામાં આવી હતી જે નવાબસસ્ટેશન સામે આવેલી સરદાર પટેલ ની પ્રતિમા સુધી પહોંચી હતી અને સરદાર પટેલની પ્રતિમાને સુતર ની આંટી પેહરાવી વિરોધ વ્યક્ત કર્યો હતો

