મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલ થી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવે તો ટ્રાફીક સમસ્યા હલ થઈ શકે તેમ છે.
જેથી મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડયા દ્વારા દલવાડી સર્કલ થી લીલાપર ચોકડી,રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી અને ભક્તિનગર થી ઉમીયા સર્કલ રસ્તાઓ પર તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી સવારના કલાક-૦૮:૦૦ થી રાત્રીના કલાક-૧૨:૦૦ સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે.

