માળિયા મિયાણા તાલુકાના નવલખી પોર્ટ પાસે કોલસાની હેરાફેરી કરતા અનેક બાજ હેરા ફેરી કરતા હોય છે ગત તા 26ના રોજ બપોરના સમયે અચાનક કોઈ કારણસર બાર્જ એક તરફ નમી જતા બાર્જમાં કામ કરતા મૂળ બિહારના જબાલપુર જિલ્લાના બે શ્રમિક સંજયસિંહ રાજેંદ્રસિંહ રાજપુત નામનો 23 વર્ષીય યુવક તેમજ રવિંદ્રકુમાર સત્યાદેવ યાદવ અને 22 વર્ષીય યુવક દરિયાનાપાણીમાં પડી જતા તેઓ ડૂબવા લાગ્યા હતા અને ઊંડા દરિયામાંથી બહાર ન નીકળી શકતા અન્ય સાથી કર્મીઓએ બન્ને બાહર કાઢી બેશુદ્ધ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બન્નેને મૃત જાહેર કરતા પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યા હતા બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

