માળિયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રણધીરભાઈ જલાભાઇ હુંબલ નામના 34 વર્ષીય ખેડૂત યુવાન સોમવારે સાંજના સમયે કુંતાસી જવાના રસ્તે થી પોતાના ખેતરે જતા હોય દરમિયાન રસ્તામાં વોકળાના પાણીમાં પડી જતા ડૂબવા લાગ્યો હતો અને ઊંડા પાણી માં ગરકાવ થઇ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. તો ધટનાની જાણ થતા જ ગ્રામજનો અને માળિયા પોલીસની ટીમ દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

