HomeNationalકાળજુ કંપાવનારી ઘટના: દલિતોના પીવાના પાણીમાં જ નાખી દીધું મળમૂત્ર, બાળકો ગંભીર...

કાળજુ કંપાવનારી ઘટના: દલિતોના પીવાના પાણીમાં જ નાખી દીધું મળમૂત્ર, બાળકો ગંભીર બિમારીમાં સપડાયા…

આઝાદીના 75 વર્ષ નિમિત્તે દેશ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, તે દરમિયાન તમિલનાડુમાંથી એક ચોંકાવનારી તસવીર સામે આવી છે. જ્યાં મધ્ય તમિલનાડુના ઈરાયુર ગામમાં દલિતો પ્રત્યે કેટલાક લોકોની નફરત એટલી વધી ગઈ કે તેઓએ પાણીની ટાંકીમાં મળ પણ નાખી દીધું.

આ ગામની વાસ્તવિકતા એ છે કે આજે પણ અસ્પૃશ્યતા જેવા ઘૃણાસ્પદ વિચારો લોકોના હૃદયમાં વસે છે. ભાજપે આ ઘટનાનો વિરોધ કર્યો છે અને મામલાની તપાસ માટે પોતાની ટીમ મોકલવા કહ્યું છે. આ મામલે અધિકારીઓએ ફરિયાદ નોંધી છે અને ગ્રામજનોને પણ ભેદભાવ અંગે વધુ ફરિયાદ મળે તો તાત્કાલિક જાણ કરવા જણાવ્યું છે.

આ ઘટનાની વધુ માહિતી ત્યારે મળી જ્યારે ગામના બાળકો એક પછી એક બીમાર પડવા લાગ્યા. આ પછી ગામલોકો જ્યારે બાળકોને ડોક્ટર પાસે લઈ ગયા તો જાણવા મળ્યું કે ગંદુ પાણી પીવાથી તેમની તબિયત લથડી હતી. આ પછી જ્યારે પીવાના પાણીની ચકાસણી કરવાનો વારો આવ્યો ત્યારે અધિકારીઓને ચોંકાવનારું સત્ય સામે આવ્યું. અધિકારીઓએ ગ્રામજનોની પૂછપરછ કરી અને તપાસ કરી અને જાણવા મળ્યું કે પીવાના પાણીની ટાંકીમાં માનવ મળમૂત્ર પડેલું હતું. ગંદકીની લપેટમાં આવવાના કારણે એક પછી એક લોકોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું.

મધ્ય તમિલનાડુના ઈરાયુર ગામમાં દલિતો સાથે અસ્પૃશ્યતાની પ્રથા કંઈ નવી નથી. જ્યારે અધિકારીઓ તપાસ કરીને અહીં પહોંચ્યા તો તેમને જાણવા મળ્યું કે લોકોના દિલમાં દલિતો વિશેની ખોટી લાગણી હજુ પણ જીવંત છે. ચાની દુકાન હોય કે અન્ય કોઈ જાહેર સ્થળ,લોકો હંમેશા દલિતોને ઘૃણાસ્પદ વિચારથી જુએ છે.મંદિરમાં પ્રવેશવા માટે પણ દલિતો સાથે દુર્વ્યવહાર થાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW