મોરબીની ઓમ શાંતિ સ્કૂલ માં સાથે ભણતા મિત્રો દ્વારા દર વર્ષ સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજાય છે પણ કોરોના ના લીધે 2 વર્ષ બાદ આજ રવિવાર ના રોજ મોરબીમાં સ્કૂલના મિત્રનો ડ્રિમલેન્ડ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજયો હતો બધા મિત્રો સાથે મળી ને જૂની વાતો ને વાગોળી હતી અને સ્કૂલ લાઈફ ની વાતો તાજી કરી હતી. સ્કૂલ ના 15 વર્ષ બાદ પણ મિત્રો મળી ને એક બીજા ના સંપર્ક માં રહે એ હેતુ થી સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યુ હતું

