મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરતા ઈબ્રાહીમ હુસેનભાઈ વેગડી નામના છાત્રને તેના શિક્ષક દ્વારા ક્લાસમાં તોફાન કરવા મુદે મારમારવામાં આવ્યો હતો જે બાદ ઈબ્રાહિમ ઘરે ગયો ત્યારે તેને ઉલટી થવા લાગી હતી તેમજ બેશુદ્ધ જેવો થઇ જતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જે બાદ ઈબ્રાહીમ ના પિતા હુશેનભાઇ અબ્બાસભાઇ વેગડી એ એ ડીવીઝન પોલીસ મથકમાં શાળાના શિક્ષક ગૌતમભાઈ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે આઇ.પી.સી કલમ-૩૨૩ તથા ધ જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટ ૨૦૧૫ ની કલમ ૭૫ મુજબ ગુન્હો નોધિ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

