સૌથી ઝડપી વાહન વ્યવહાર અને ટ્રાફિકમાંથી મુક્ત એટલે કે BRTS પરંતુ આ જ વહેલી સવારે બસમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. જોકે કોઈ જાનહાનિ ન થઇ હોવાનું સામે પ્રાથમિક દ્રષ્ટીએ સામે આવ્યું છે અમદાવાદના મણિનગરમાં BRTSની બસમાં આગ લાગી ત્યારે બસ સ્ટોપ પાસે ખાલી હતી જેથી મોટી દુર્ઘટના થતા ટળી હતી આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લીધી હતી. બસ ખાલી હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.મણિનગર વિસ્તારમાં BRTSની બસમાં આગ લગતા અફરાતફરીનો માહોલ બન્યો છે
BRTS માં વારંવાર આગના બનાવો બની ચૂક્યા છે. ખાલી પડેલી બસમાં ક્યા કારણસર આગ લાગી તેનું હજુ સુધી સામે આવ્યું નથી

