મોરબીના બન્ધુનગર ગામમાં રહેતા મહેન્દ્રભાઇ ઉર્ફે ટીનાભાઇ સુખદેવભાઇ આદ્રોજા અને તેમના પત્ની ચેતનાબેન બાઈક લઈને જતા હતા. તે દરમિયાન વાકાનેર-મોરબી હાઇવે પર આવેલ ઢુવા નજીક પસાર થતા તે દરમિયન જીજે-૧૩-એટી-૭૯૮૨ નંબરના ટ્રકે બાઈકને હડફેટે લીધા હતા બનાવમાં મહેન્દ્રભાઈને ગંભીર ઈજા પહોચતા તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું જયારે તેમના પત્ની ચેતનાબેનને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોચી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે બનાવ અંગે જી જે ઝાલા વધુ તપાસ હાથ ધરી હતી.

