માળીયા કચ્છ હાઇવે પર સૂરજબારી બ્રીજ જાણે અકસ્માતનો બ્રીજ બની ગ્યો હોય તેમ તેમ અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે.હુજુ બે દિવસ પહેલા માળિયા પોલીસની હદમાં ટ્રાવેલ્સ અને છોટા હાથી વચ્ચે અકસ્માત થયો હતો જેમાં 4 લોકોના મોત થયા હતા અને 6 લોકોને ઈજા પહોંચી હતી હજુ આ ઘટનાને વધુ દિવસ થાય ત્યા ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં aa વખતે માણસ નહીં પણ અબોલ જીવ આવી ગયા હતા. બનાવની મળતી માહિતી મુજબ સામખિયારી પોલીસ મથક વિસ્તારમાં સૂરજબારી પુલ પાસે જાબુઆ દાહોદ ભુજ રૂટની એસટી બસે વિશાભાઈ બધાભાઈ રબારી ના ગાડરિયા ટોળાને હળફેટે લીધા હતા. બનાવ એટલો ગંભીર હતોકે ૧૦૦થી વધુ ઘેટાઓ ના કમકેમાટી ભર્યા મોત થયા હતા. બનાવ બાદ કાંડક્ટર અને બસ ચાલક બસઅને મુસાફરોને રઝડતા મુકી ભાગી છૂટયા હતાં બનાવને પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

